સરદારધામ યુવા તેજ/તેજસ્વીની સંગઠન એક એવું તેજ તર્રાર સંગઠન છે જે સમાજને દરેક તબક્કે મદદરૂપ થવા તત્પર છે. માત્ર ધન અને સિમેન્ટ કોંક્રીટની દિવાલોથી સમાજની સેવા નથી થઈ શક્તી. પરંતુ તેમાં નવલોહિયા યુવાનોના પરિશ્રમનો પરસેવો ભળે ત્યારે સમાજ ઉન્નત બને છે. યુવા તેજ અને તેજસ્વીની સમાજીક સેવા માટે સતત તત્પર યુવા સંગઠન છે. જે સમાજને શિક્ષણ થકી, પરંપરાઓની વિશાળતા થકી, આધુનિક વિચારો થકી અને સાંસ્કૃતિક રંગો થકી સમાજને હંમેશા યુવાન રાખે છે. તેજ/તેજસ્વીની સંગઠન એ સરદારધામની એક એવી કસુંબલ પાંખ છે જે સરદારધામના દરેક પ્રસંગોનું હાર્દ છે જેના દ્વારા દરેક પ્રસંગ રળીયામણો અને સોહામણો દેખાય છે.